WhatsAp Join Now
Telegram Join Now
Instagram Join Now
ગઝલ

આમ જીવન દાખલાને કોરા તો ક્યારેય આ છોડાય ના – જીગ્નેશ ત્રિવેદી

ભૂલથી પણ કોઈની આંતરડી તારાથી કદી કકળાય ના,
ભાવ રાખો તો સદા માટે ,ત્યાં પથમાં પડતો એ મૂકાય ના.

પંખી આભે ઊંચે ઉડતા જોઈને જાગ્યો ચકિતનો ભાવ આજ,
ત્યારે પંખી બોલ્યું અફવાથી વધારે કોઈને ઉડાય ના.

શબ્દો આજે ધાર કાઢી કાઢી માનવ વાપરે તલવાર જેમ,
ભાઈ ! સમજો ,સાચવો શબ્દોને એને જ્યાં ત્યાં તો ફેંકાય ના.

પહેલા આશા ને તરસ મળવાને માટે મુજને અતિશય તો હતી!
પણ હવે ભૂલેચૂકે જીવનમાં ક્યારે તે મને અથડાય ના.

દોસ્તો પાસે જઈને હું આભાર બોલું કે પછી ફરિયાદી થાવ!
તેનું કારણ એટલું કે દોસ્તો વિણ મારા ચરણ લથડાય ના.

મારા પોતાના તો તમને મેં ગણ્યા પણ તે કરી મુજ અવદશા !
એ સમય મુજને થયું દેવાય સઘળું પણ હૃદય દેવાય ના.

વાતે વાતે આટલું શેનું તને ખોટું સતત લાગ્યા કરે,
ચાર દિનની જિંદગીમાં આ ઝઘડવું મુજને તો પોષાય ના.

આદતો કેવી આ વિસ્તારી છે તુજ જીવનમાં માનવ આ બધી,
યાર ખુદની ચિંતા કર બીજાના જીવનમાં કદી ડોકાય ના.

મનમાં આવે તું સદા બોલી દે છે ને તું અસરથી બેખબર,
ભાઈ! વાગે ને હૃદયના ચીરા થાયે તેવું તો બોલાય ના.

આંખ આપી તે છતાં તું ક્યાં ક્યાં અથડાયો તું જીવનમાં બધે,
ફૂલ છે કે પથરો અથડાયો તો પણ તુજને હવે પરખાય ના ?

ગૂઢ છે, સાથે અકળ છે માનવી જે હાથમાં ક્યાં આવે છે?
નાગ પણ પકડાય, પણ માનવના નિજ ભાવો કદી પકડાય ના.

વાત માં ક્યાં કોઈ દમ કે એને તું જાહેરમાં લઈ જાય છે,
તણખો છે ઠારી દે એને તેલ દઈને આમ તું સળગાય ના.

આંખ વરસે છે હૃદયના ભાવમાં આવી તો તું સમજાવ,કે
આમ ભાવોને ખુલ્લા મૂકીને અનરાધાર તો વરસાય ના.

ગૂંગળામણ છેલ્લા શ્વાસે શેની છે તે કોને જઈને હું પૂછું,
શ્વાસ કોનામાં આ અટક્યા કે સહજ મુજમાંથી શ્વાસો જાય ના.

ઓળખું છું વાત કાયમ મુજને ખોટી લાગી ,કારણ એટલું
પુસ્તકો ઉપલક તું વાંચે પણ મનુજ ઉપલક કદી વંચાય ના.

ફૂલને સૂંઘે પછી તોડે ને પગ નીચે તું કચડે કેમ છે?
ફૂલ કોમળ છે સદા સચવાય એને પગ તળે કચડાય ના.

જિંદગીના દાખલા થોડા આ અઘરા આવ્યા તો શું છે ‘પ્રકાશ’!
આમ જીવન દાખલાને કોરા તો ક્યારેય આ છોડાય ના.

જિજ્ઞેશકુમાર ડી. ત્રિવેદી ‘પ્રકાશ’

error: Content is protected !!