Site icon RockstarGujju

શું તમારા વાળ બહુ જ ખરે છે તો અજમાઓ આ ઉપચાર

શું તમારા વાળ બહુ જ ખરે છે? તો કરો આ અક્સીર ઈલાજ

કુદરતી વસ્તુઓનો જ ઉપયોગ કરીને તમારા વાળની દરેક પ્રકારની સમસ્યાનો ઉપચાર કરી જુઓ.

જેમ જેમ ઋતુઓ બદલે છે તેમ તેમ તેની સાથે માથાના વાળની સમસ્યાઓ પણ બદલાતી જાય છે. હવામાનની ગહેરી અસર આપણી ત્વચા અને માથાની ચામડી ઉપર પણ પડતી હોય છે. પરિણામે ઉનાળામાં, શિયાળામાં કે ચોમાસામાં દર વખતે કોઈ જુદી જ સમસ્યાઓ ઊભી થતી હોય છે. માથામાં થતો ખોડો કે વાળનું ખરવું પણ એક ગંભીર સમસ્યા છે.

આપના માથાના વાળની સમસ્યાનું મૂળ કારણ જ્યાં સુધી ન પકડાય ત્યાં સુધી તેને ઉપચાર કઈરીતે કરવું એ પણ નક્કી નથી કરી શકાતું. તેથી આવી તકલીફોને એવી રીતે નિવારવી પડે છે જેથી સ્વાસ્થ્યને નુક્સાન ન થાય અને જડમૂળથી તે તકલીફ પણ આસાનીથી દૂર કરી શકાય. તો જાણી લઈએ એ ઉપચાર જે તદ્દન સરળ છે અને આડઅસર પણ તેના ઉપયોગથી નથી થતી.

માથાના વાળ ધોવા માટે કોઈ જ કેમિકલ યુક્ત શેમ્પૂ કે કંડિશનર વાપરવું ના જોઈએ તેના બદલે શિકાકાઈ અને તેની સાથે અન્ય કુદરતી જ વસ્તુઓને ઉમેરીને બનાવાતું હેર પેક વાપરવું હિતાવહ છે. અને તેને વાપરવું સહેજ જટિલ અને સમય માગી લે તેવું છે, પરંતુ તેનાથી માથાનું સ્કાલ્પ ચોખ્ખું અને નિરોગી થઈ જશે જેથી કોઈજ પ્રકારનું ફંગસ લાગવાનો ડર નહીં રહે અને તમારા વાળ ખરી જઈને ટાલ પડવાનો પણ ડર નહીં રહે.

કુદરતી હેર પેક બનાવાની રીત

જરૂરિયાત મુજબ શિકાકાઈનો પાવડર લઈ લેવો તેમાં તેટલા જ પ્રમાણમાં અરીઠાનો પાવડર, હિબિક્સ પાવડર એટલે કે જાસૂદના બીજનો પાવડર અને મેથીના દાણા સરખી માત્રામાં લેવા.આ બધી જ સામગ્રીને જેમાં હિબિક્સ પાવડર સિવાય બધા જ પાવડરને એક સાથે લઈને ભેગા કરવા. એક વાસણમાં બધા પાવડરને રાત આખી સાદા પાણીમાં પલાળી રાખવું.

આ હેરપેક નો ઉપયોગ કઈ રીતે કરવો જે આ પ્રમાણે છે.

સિકાકાઈમાંથી બનાવેલ આ હેર ટોનર પેકનું પાણીને વાળમાં છેક તાળવા સુધી લગાવીને દસ મિનિટ સુધી રાખી મૂકવું. વાળને તે કુદરતી વસ્તુઓવાળા પાણીથી એકદમ ચોળ્યા પછી તેને સાદા પાણીથી ધોઈ લેવું. વાળ ધોયા પછી શેમ્પૂનો ઉપયોગ બિલકુલ ન કરવો. જો તમે ઇચ્છો તો કંડિશનરનો ઉપયોગ કરી શકો છો.આ પ્રયોગ તમે અઠવાડિયામાં બે વખત કરી શકો છો. આ રીતે તમારા વાળને લગતી તમામ પ્રકારની સમસ્યાઓ જડમૂળથી દૂર થઈ જશે.

Exit mobile version